સંથાલ ભારતના સૌથી જૂના અને સૌથી મોટા આદિવાસી સમુદાય પૈકીનો એક | Confusion_point
સંથાલ ભારતના સૌથી જૂના અને સૌથી મોટા આદિવાસી સમુદાય પૈકીનો એક છે.
ભારતને આઝાદીનાં 75 વર્ષ બાદ દ્રૌપદી મુર્મૂના રૂપમાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યાં છે. તેઓ સંથાલ સમુદાયમાંથી આવે છે. @IMPFORCLASS3
ભીલ અને ગોંડ પછી આદિવાસીઓની સૌથી વધુ વસ્તી સંથાલ જાતિની છે.
2011ની વસ્તીગણતરી મુજબ, ભારતમાં સાડા આઠ ટકાથી થોડી વધુ વસ્તી આદિવાસી છે. @IMPFORCLASS3
મિઝોરમ, નાગાલૅન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં રાજ્યની વસ્તીમાં તેમનો હિસ્સો 40 ટકાથી વધુ છે.
જ્યારે મણિપુર, સિક્કિમ, ત્રિપુરા અને છત્તીસગઢમાં આદિવાસી વસ્તી 30 ટકા છે અને મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં તેમની વસ્તી 20 ટકાથી વધુ છે.
ભારતમાં લોકસભાની કુલ બેઠકોમાંથી 47 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. ગુજરાત વિધાનસભામાં 27 બેઠકો અનામત છે.
સોર્સ - બીબીસી
Yes it's @IMPFORCLASS3